પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલ માછીમારનો મૃતદેહ વતન આવ્યો
Live TV
-
પાકિસ્તાનની લાડી જેલમાં મોતને ભેટલા કાજરડી ગામના માછીમારનો મૃતદેહ અઢી મહિને માદરે વતન આવ્યો હતો. કાજરડી ગામના નાનુભાઈ સોલંકીનું બે વર્ષ પહેલાં જખૌનાં દરિયાકિનારેથી પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હતું. પાકિસ્તાનની જેલમાં બીમારથી પીડાતા નાનુભાઈનું 15 સપ્ટેમ્બરે મોત થયું હતું. મોતના અઢી મહિના બાદ માછીમારનો મૃતહેદ પાકિસ્તાન સરકારે ભારત સરકારને સોંપ્યો હતો ત્યારે તેમનો મૃતદેહ માદરેવતન આવતાં ગ્રામજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.
