જૂનાગઢ ખાતે કુંભમેળાનો પ્રારંભ, હાઈએલર્ટના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Live TV
-
આ વખતે ગિરનાર શિવરાત્રિ મેળાને કુંભનો દરજ્જો અપાતા મેળામાં, 10 થી 12 લાખ શ્રદ્ધાળુઓ અને વીવીઆઇપી લોકો અને સાધુ-સંતો આવવાના હોઇ સુરક્ષાના તમામ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે.
જુનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં વિધિવત રીતે કુંભમેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને પગલે ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરાતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિવરાત્રી કુંભમેળામાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જૂનાગઢ રેન્જ IGP સુભાષ ત્રિવેદી અને જૂનાગઢ S.P. સૌરભ સિંઘે સુરક્ષા માટે ભવનાથની મુલાકાત લઇને, માઇક્રો પ્લાનિંગ કરીને અનેક નિર્દેશો આપ્યા હતા. 14 DYSP, 25 PI , સહિત 2500 પોલીસનો કાફલો સતત મેળાની સુરક્ષા કરી રહ્યો છે. આ વખતે ગિરનાર શિવરાત્રિ મેળાને કુંભનો દરજ્જો અપાતા મેળામાં, 10 થી 12 લાખ શ્રદ્ધાળુઓ અને વીવીઆઇપી લોકો અને સાધુ-સંતો આવવાના હોઇ સુરક્ષાના તમામ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે.
