મુખ્યમંત્રીએ પાલિકા અને મનપાના વિકાસકાર્યો માટે 596 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી
Live TV
-
પાણી પુરવઠાના કામો માટે 153.11 કરોડ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યની 18 નગર પાલિકાઓ અને રાજકોટ, સૂરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવી મહાનગર પાલિકાઓના માળખાકીય વિકાસ કામો માટે કુલ 596.34 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી છે. જે હેઠળ તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર યોજના, રેલવે ઓવર બ્રિજ- અન્ડર બ્રિજ, ટ્રાફિક સિગ્નલ, નગર બ્યુટિફિકેશન, રોડ અને સ્ટ્રીટ લાઈટ જેવા માળખાકીય વિકાસના કામો કરવામાં આવશે. આ અંતર્ગત પાણી પુરવઠાના કામો માટે 153.11 કરોડ, રેલવે ઓવર અને અંડર બ્રિજના કામો માટે 62.23 કરોડ, ભૂગર્ભ ગટર યોજના માટે 344.36 કરોડ, આગવી ઓળખના કામો અને બ્યુટિફિકેશનના કામો માટે 8.56 કરોડ, રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટના કામો માટે 8.58 કરોડ, તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે 19.50 કરોડ ફાળવવામાં આવશે
