ટેકાના ભાવે ખેતઉત્પાદનની સીધી ખરીદીની શરૂઆત કરાઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પના પરિપેક્ષમાં હાલ બજાર ભાવ કરતા વધુ ભાવે ખેત પેદાશની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે
ખેડૂતોને તેના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે તે હેતુસર સુરતના કોસંબામાં એ.પી.એમ.સી. માર્કેટમાં ખેડૂતના ઉત્પાદનની સીધી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ લિમિટેડ દ્વારા એ.પી.એમ.સી. નાં માધ્યમથી ટેકાના ભાવે વચેટિયા વગર ખરીદી શરૂ થતાં ખેડૂતોએ સરકારના પ્રયાસને આવકાર્યો છે. નોંધનિય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ લીધો છે. જેના પરિપેક્ષમાં હાલ બજાર ભાવ કરતા વધુ ભાવે ખેત પેદાશની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. કોસંબા ખાતે એ.પી.એમ.સી. દ્વારા શરૂ કરાયેલ ટેકાના ભાવની ખરીદીનો લાભ ઓલપાડ, માંગરોળ તેમજ હાંસોટ તાલુકાનાં ખેડૂતોને સીધો મળશે.
