તમામ કલેકટર કચેરીઓમાં લાભ પાંચમથી ઓનલાઇન NA પ્રક્રિયા શરૂ થશે: મુખ્યમંત્રી
Live TV
-
મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિન 15 ઓગષ્ટે બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં બિનખેતી પરવાનગી- એનએ પ્રક્રિયા આગામી લાભ પાંચમ તા. 12 નવેમ્બર 2018થી ઓનલાઇન કરવાનો ક્રાંતિકારી અને પારદર્શી નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીઓમાં લાભ પાંચમથી આ ઓનલાઇન એનએ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિન 15 ઓગષ્ટે બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાની જાહેરાત કરી હતી.
