તહેવારોને લઇને STની વધુ બસો દોડશે
Live TV
-
દિવાળી તહેવાર નિમીત્તે પ્રવાસીઓના ધસારને પહોંચી વળવા વધારાની બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે
રાજ્ય પરિવહન નિગમ દ્વારા આ વર્ષે પણ દિવાળી તહેવાર નિમીત્તે પ્રવાસીઓના ધસારને પહોંચી વળવા વધારાની બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ખાતેથી 900 જેટલી બસ 1,405 જેટલી વધારાની ટ્રીપ કરશે. આજથી 27 ઓકટોબર દરમિયાન આ વધારાની બસ દોડશે. મહારાષ્ટ્ર તરફની લાંબા અંતરની સફર માટે સુરત, ભરૂચ, અને વલસાડ ખાતેથી પણ વધારાની બસ દોડશે. અમદાવાદથી પણ રાજસ્થાનના માઉન્ટ આબુ, સુંધામાતા માટે વધારાની બસ દોડશે. તમામ વધારાની બસ અંગેની માહિતી પરિવહન નિગમની વેબસાઈટ www.gsrtc.in પર ઉપલબ્ધ રહેશે
