તુવેરની ખરીદીમાં મોટુ કૌભાંડ
Live TV
-
તુવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર પર સધન તપાસ.. જવાબદારો સામે કડક કાર્યવાહી
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી તુવેર માં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત નાગરિક પુરવઠા નિગમ ના વિજિલન્સ અધિકારી જહાંગીર બ્લોચને શંકા જતા તેમણે સઘન તપાસ આરંભી હતી. જવાબદારો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ કેશોદ માર્કેટયાર્ડ ખાતે ગુજરાત પૂરવઠા નીગમ દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે તુવેરને ગોડાઉનમાં મુકવા જતા તે તુવેરની ચકાસણી કરવામાં આવતા નબળી કક્ષાની તુવેરના 3 ટ્રક રીજેક્ટ થયાનું અને ક્લસ્ટરે 5 ટ્રક રીજેક્ટ કર્યાનું સામે આવતા તપાસ શરુ કરવામાં આવી છે.
