દિવાળી અને નૂતનવર્ષને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
Live TV
-
દિવાળી અને નૂતનવર્ષ ઉત્સવને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે દિવાળીના દિવસે મંગળા આરતી સવારે 5.30 વાગ્યે થશે. નૂતન વર્ષ અને ભાઇબીજના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહેશે. 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને 8 વાગ્યે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન કરી શકાશે. રાત્રે 9.45 વાગ્યે મંદિર બંધ થશે. મંગળવારે સૂર્યગ્રહણના દિવસે સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહશે. સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો શ્રીજીના દર્શન કરી શકશે.
