દિવ્યાંગોની સાધન સહાયની રકમ થશે બમણી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત
Live TV
-
દિવ્યાંગોને અપાતા સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની મહત્વપૂર્ણ જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ ને દિપાવલી ભેટ આપતા દિવ્યાંગોને અપાતા સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે રાજ્યમાં દિવ્યાંગ લોકોના કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતોના સુચારુ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે. દિવ્યાંગ સાધન સહાય પ્રવર્તમાન ધોરણે વ્યક્તિ દીઠ રૂપિયા 10 હજાર રાજ્ય સરકાર આપે છે. તે પણ આ દિવાળી બાદ બમણી એટલે કે 20 હજાર પ્રમાણે અપાશે.
