દીવમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પ્રશાસક પ્રફુલ પટેલનો પ્રવાસ
Live TV
-
દીવમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પ્રશાસક પ્રફુલ પટેલનો પ્રવાસ
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ દીવના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે દીવ પહોંચ્યા છે. તેમણે વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પ્રવાસ દરમિયાન પ્રશાસક પટેલે દીવના અનેક પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં પોઠિયા દાદા ડાયનાસોર પાર્ક, વોકવે, અને વડલીમાતા સ્કૂલમાં ચાલી રહેલા બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ પંચાયત ભવન, નિર્માણાધીન આંગણવાડીઓ, અને વણાકબારામાં ચાલી રહેલા વિવિધ બાંધકામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જલારામ સોસાયટી અને વણાકબારામાં નિર્માણાધીન આંગણવાડીઓ અને GPS 1 અને 2 નું નિરીક્ષણ પણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન, પ્રશાસક પ્રફુલ પટેલે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તમામ કામો ઉચ્ચ ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને દીવના સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પ્રશાસકના આ પ્રવાસથી વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
