દેવાળિયા સફારી પાર્ક ખાતે વન કર્મીના મોત બાદ સોશિયલ મીડિયામાં અફવાઓ
Live TV
-
તાજેતરમાં દેવાળિયા સફારી પાર્ક ખાતે સિંહો દ્વારા હુમલો થતાં એક વનકર્મીનુ મૃત્યુ થયું છે. જે અંગે સોશિયલ મીડિયામાં ઘણી બધી બાબતો પ્રસારિત થઈ રહી છે. જે બાબતે વનવિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પ્રસારિત સમાચાર મુજબ દેવળિયા પાર્કમાં પ્રવાસીઓને મોટા પ્રમાણમાં પ્રવેશ આપવામાં આવે છે જેનાં કારણે સિંહોને ખલેલ પહોંચતાં આ હુમલાનો બનાવ બનેલ છે, જે અંગે વન વિભાગે સહમતી દર્શાવી નથી. વન વિભાગને અનુસાર સિંહ દર્શન માટેનો સમય સવારના ત્રણ કલાક અને બપોર બાદના ત્રણ કલાક નિયત કરેલ છે. બાકીના સમયમાં સિંહોને આરામ આપવામાં આવે છે. તેમજ તેમને નિયમિત ખોરાક આપવામાં આવે છે અને વેટેરનરી ડોક્ટર દ્વારા તેમનું નિયમિત રીતે નિરીક્ષણ પણ કરવામાં આવે છે. આ સિવાય પણ અનેક મુદ્દે વન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
