દેશનાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ દત્તક લીધું હતું નર્મદાનું કરનાળી ગામ
Live TV
-
દેશનાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ નર્મદાનું કરનાળી ગામ દત્તક લીધું હતું. તેઓ આ ગામને દેશનું સર્વોચ્ચ આદર્શ ગામ બનાવવા માંગતા હતા. વર્ષ 2017માં જ્યારે તેઓ કરનાળી આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, આદર્શ સાંસદ ગ્રામ યોજના હેઠળ મને આ ગામને દત્તક લેવાનો મોકો મળ્યો છે તે મારું સૌભાગ્ય છે. તેમણે કહ્યું હતું કે, કરનાળી ગામને હું ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું આદર્શ ગામ બનાવવા માગુ છું.
