ધરમપુર ખાતે વલસાડ કોંગ્રેસના બુથના કાર્યકરોનું સંમેલન યોજાયું
Live TV
-
લોકસભા ઈલેક્શનને અનુલક્ષી ધરમપુર ખાતે વલસાડ કોંગ્રેસના બુથના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશના નેતા અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. વલસાડ લોકસભા માટે ભાજપે સાંસદ કે.સી. પટેલને રિપીટ કર્યા છે ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડે વલસાડની સીટની ઉમેદવારી માટે જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. વલસાડની બેઠક કોંગ્રેસ જીતે એ માટે ભાજપના નિષ્ફળ કાર્યોની માહિતી કોંગ્રેસ પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાએ આપી હતી.
