નર્મદાની જળસપાટી 111.25 મીટર, ઉનાળામાં પાણીની અછત વર્તાય તેવા સંકેત
Live TV
-
હાલ નબળા ચોમાસાના કારણે નર્મદાની જળસપાટી 111.25 મીટર સુધી જતી રહી છે,
હાલ નબળા ચોમાસાના કારણે નર્મદાની જળસપાટી 111.25 મીટર સુધી જતી રહી છે, જેના કારણે ઉનાળામાં પાણીની અછત વર્તાય તેવા સંકેત મળી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે અને સામાન્ય રીતે ઓગસ્ટમાં નર્મદા ડેમ પર ભરપૂર હોય છે. જો કે મઘ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ થતાં પાણીની આવકમાં નોંધનીય વધારો નથી થયો. આવતા બે મહિનામાં પણ નર્મદા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ નહિ થાય, તો ઇમર્જન્સીમાં ઇરીગેશન બાયપાસ ટનલ ખોલીને ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરવો પડશે, અને ખેતી માટે સરદાર સરોવરનું પાણી આપવું મુશ્કેલ થઈ પડશે, તેવા એંધાણ હાલની પરિસ્થિતિથી જોવા મળી રહ્યાં છે.
