વડોદરાઃ CM વિજય રૂપાણીએ 5000 માં અમૃતમ કાર્ડનું વિતરણ કર્યું
Live TV
-
વડોદરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની અધ્યક્ષતામાં જિલ્લાના ગરીબ લાભાર્થીઓને મા અમૃતમ યોજના અંતર્ગત 5000 મા કાર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીના હસ્તે માં કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે પહેલાની સરકારો ચૂંટાયા પછી ગરીબોને ભૂલી જતી હતી. પરંતુ ભાજપની સરકારે ગરીબોને નોંધ લેતા નાનામાં નાના માનવીની ચિંતા કરવાનું બીડુ ઝડપ્યુ છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે હાલમાં જેની પાસે મા કાર્ડ હોય તેને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાંથી રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળી શકે છે.
સરકારની આ યોજનાથી લાખો ગરીબ લાભાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે.આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ જિલ્લાના ધારાસભ્યો અને પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
