નર્મદામાં નવ દર્દીએ કોરોનાને હરાવ્યો
Live TV
-
હોસ્પિટલના સ્ટાફે ફૂલવર્ષા કરી તમામને વિદાય આપી, જિલ્લામાં હવે માત્ર એક જ પોઝિટિવ દર્દી
નર્મદામાં કોરોનાથી પીડિત 9 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી. તમામ નવ દર્દીને જ્યારે આર્યુવેદિક હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમના પર પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી. નર્મદામાં અત્યાર સુધી 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી આજે નવ અને આ પહેલા એક દર્દી સાજો થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હવે માત્ર એક મહિલા દર્દી છે જેમની વડોદરાના ગોત્રી ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોઝિટિવ કેસની સંખ્યા ઘટતા નર્મદા જિલ્લો ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો છે.
