નર્મદા: એકતાનગરમાં આવેલ ગોરા ઘાટે વિવિધ રાજ્યોના ન્યાયાધીશોએ માં નર્મદા મૈયાના દર્શન કરી મહાઆરતીનો લીધો લાભ
Live TV
-
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગર ગોરા ઘાટે વિવિધ રાજ્યોના ન્યાયાધીશોએ માં નર્મદા મૈયાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો. નર્મદા જિલ્લો ગુજરાતનો વિશ્વપ્રસિદ્ધ સ્થળોમાં એક છે ત્યાં આવેલ જે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઑફ યુનિટી સાથે 31 થી વધુ આકર્ષણો ધરાવે છે, તે 131-મીટર લાંબા અને 47-મીટર પહોળા ઘાટો પર નર્મદા નદીને સમર્પિત દૈનિક સાંજની આરતીઓની ભવ્યતાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે એકતાનગર ખાતે બે દિવસીય જજીસ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ આર.વી.રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી આકર્ષક લાઈટીંગ કરવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફૂવારાએ આકર્ષણ જમાવ્યું હતું.
