નર્મદા જિલ્લામાં ચંદનના વૃક્ષો ચોરી થયા હોવાની ઘટના
Live TV
-
નર્મદા જિલ્લામાં ચંદનના વૃક્ષો ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. ગત રાત્રીના અહીં ચંદનચોરો વડીયા પેલેસની વનવિભાગની કચેરીનાં કંપાઉન્ડમાંથી ચંદનના 8 વૃક્ષો કાપી ગયા હતા. અહીં ચંદનના 200 વર્ષ જુના 100થી વધારે વૃક્ષો આવેલા છે. તમામ ચંદનના વૃક્ષનાં થડને પતરાથી સંરક્ષિત કરાયા હોવા છતાં તસ્કરો પતરા કાપીને ઇલેક્ટ્રીક કરવતથી ચંદન કાપીને ચોરી ગયા હતા. આ અગાઉં સપ્ટેમ્બર માસમાં પણ તસ્કરોએ અહીંથી 4 વૃક્ષોની ચોરી કરી હતી. હાલ વનવિભાગ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
