નર્મદા જિલ્લામાં "જાગો મતદાર જાગો" કાર્યક્રમ યોજાયો
Live TV
-
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ "જાગો મતદાર જાગો" કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે કલેકટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ ભારતનો દરેક નાગરિક પોતાના મતનું મૂલ્ય સમજે તે હતો. આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અચૂક મતદાન માટેનો સંકલ્પ કર્યો હતો
