નર્મદા જિલ્લામાં રાજ્યસભા સાંસદની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજ સંમેલન યોજાયુ
Live TV
-
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર રોશની હાઈસ્કૂલ ખાતે આદિવાસી સમાજ સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવ ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનને સંબોધન કરતા સમીર ઉરાવે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશભરમાં આદિવાસીઓ માટે વિકાસ કાર્યોનો અમલ કર્યો છે.
આદિવાસી વિસ્તારોમાં સુવિધાયુક્ત માળખુ, રોજગારી અને આવાસો આપવાનું કાર્ય કર્યુ છે.આ સંમેલનમાં કોંગ્રેસના 500 કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.આ પ્રસંગે રાજ્ય સરકારમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ,આરોગ્ય મંત્રી નિમીષા સુથાર અને ગુજરાત પ્રદેશ એસ ટી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
