નવરાત્રીમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતાં અંબાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર
Live TV
-
અંબાજી મંદિરમાં નવરાત્રી દરમ્યાન ભક્તોનો ધસારો વધ્યો હોવાથી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિરમાં રાત્રીના 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. નવરાત્રીના પર્વની શરુઆત થઈ ત્યારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અંબાજી માંના દર્શન કરવા આવી રહ્યા છે.
અંબાજી મંદિરમાં નવરાત્રી દરમ્યાન ભક્તોનો ધસારો વધ્યો હોવાથી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિરમાં રાત્રીના 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. નવરાત્રીના પર્વની શરુઆત થઈ ત્યારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અંબાજી માંના દર્શન કરવા આવી રહ્યા છે.
નવા સમય અનુસાર હવે અંબાજી મંદિર નવરાત્રી દરમ્યાન રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જેથી દુરથી આવતા દર્શનાર્થીઓ પણ અંબે માંના દર્શન કરી શકે. નવરાત્રીમાં દર્શનનો સમય વધાર્યા બાદ હવે સવારે 7.30 વાગ્યાથી 11.45 સુધી મંદિર ખુલ્લુ રહેશે. બપોરે 12.15 થી 4.15 સુધી મંદિર ખુલ્લુ રહેશે અને સાંજે 7.00 વાગ્યાથી રાત્રીના 11.00 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.
નવરાત્રીમાં અંબાજી દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો આવવાથી આ સમયમાં ફેરફાર કરાયો છે.
