નવરાત્રી વેકેશન રદ્દ, દિવાળી વેકેશન 21 દિવસ: શિક્ષણમંત્રી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રી મંડળની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં ઉનાળુ વેકેશન પણ નહીં લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રી મંડળની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં ઉનાળુ વેકેશન પણ નહીં લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું કરવામાં આવ્યું છે. આ સાથે કેબિનેટમાં અછત રાહતની સમીક્ષા કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે માહિતી આપી હતી. તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને આવકારતાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
