નવસારી કૃષિ યુનિવર્સિટી, આત્માપ્રોજેકટ અને નવસારી જીલ્લા વિકાસ કચેરીના સયુંકત ઉપક્રમે સેન્દ્રીય કૃષક બજારનો શુભારંભ
Live TV
-
નવસારી જિલ્લાના સેન્દ્રિય ખેતી કરતાં ખેડૂતોના ઉત્પાદનનું સીધુ વેચાણ કરવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી, આત્માપ્રોજેકટ અને નવસારી જીલ્લા વિકાસ કચેરીના સયુંકત ઉપક્રમે સેન્દ્રીય કૃષક બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજયમાં સજીવ ખેતીનો વ્યાપ વધે તેમજ વધારે ખેડૂતો સજીવ ખેતીમાં જોડાય તથા સજીવ ખેતી કરતા ખેડૂતોને ખેતપેદાશોનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ બજારનો આરંભ કરવામાં આવ્યો છે. નવસારી સેન્દ્રીય કૃષક બજારમા પ્રથમ દિવસે સજીવ ખેતી કરતા 76 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલા 1700 કિલો ખેતપેદાશો અને શાકભાજીનું સીધું વેચાણ ગ્રાહકો સાથે કરી 2 લાખ 45 હજાર રૂપિયાની ઉપજ મેળવતા ખેડૂતોમાં આંનદ જોવા મળી રહ્યો છે.નવસારી જિલ્લાના સેન્દ્રિય ખેતી કરતાં ખેડૂતોના ઉત્પાદનનું સીધુ વેચાણ કરવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી, આત્માપ્રોજેકટ અને નવસારી જીલ્લા વિકાસ કચેરીના સયુંકત ઉપક્રમે સેન્દ્રીય કૃષક બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજયમાં સજીવ ખેતીનો વ્યાપ વધે તેમજ વધારે ખેડૂતો સજીવ ખેતીમાં જોડાય તથા સજીવ ખેતી કરતા ખેડૂતોને ખેતપેદાશોનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ બજારનો આરંભ કરવામાં આવ્યો છે. નવસારી સેન્દ્રીય કૃષક બજારમા પ્રથમ દિવસે સજીવ ખેતી કરતા 76 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલા 1700 કિલો ખેતપેદાશો અને શાકભાજીનું સીધું વેચાણ ગ્રાહકો સાથે કરી 2 લાખ 45 હજાર રૂપિયાની ઉપજ મેળવતા ખેડૂતોમાં આંનદ જોવા મળી રહ્યો છે.
