નવસારી પાલિકા દ્વારા 54થી વધુ ટ્યૂશન ક્લાસીસ સીલ કરાયાં
Live TV
-
સુરતમાં બનેલા અગ્નિકાંડ પછી તંત્ર દ્વારા રાજ્યના તમામ ટ્યુશન ક્લાસ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે આ નિર્ણયથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. ટ્યુશનમાં વેકેશન દરમિયાન 50 ટકા કોર્સ પૂરો કરી દેવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ કરવાનો વધુ સમય મળે.
પરંતુ સુરતની ઘટનાએ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર જાણે બ્રેક લગાડી દીધી હોય એવું લાગી રહ્યું છે. નવસારી પાલિકા દ્વારા નવસારી અને વિજલપોર મળીને 54 થી વધુ ટ્યુશન ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ સંજોગોમાં ટ્યુશન ક્લાસ વહેલી તકે શરૂ થાય અને અભ્યાસ પણ ન બગડે તેમ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઇચ્છે છે.
