નવસારી: પીપલ્સ બેંકનો લોકોને આત્મનિર્ભર લૉન આપી, આત્મનિર્ભર બનાવાનો પ્રયત્ન
Live TV
-
કોરોના મહામારીમાં લોકોને પગભર કરવા અને આત્મનિર્ભર બનાવા નવસારીની ગણદેવી પીપલ્સ બેંકે હજારો લોકોને આત્મનિર્ભર લોન આપી આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન આપ્યું.
કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકારે રૂ. 20 લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી હતી. જે અંતર્ગત કોરોના મહામારીના જંગમાં આર્થિક રીતે નુકશાન થયુ હોય તેવા લોકોને પગભર કરવા માટે નવસારી જિલ્લાની ગણદેવી પીપલ્સ બેંકે નવસારી જિલ્લાના 1083 જેટલા લોકોને રૂ.17.87 કરોડથી વધુની આત્મનિર્ભર લૉન આપી, આત્મનિર્ભર બનાવવાની સાથે કપરા સમયમાં પગભર થવાની નવી દિશા આપી છે. કુલ 23 હજાર સભાસદો ધરાવતી આ બેંકમાં 43 હજાર ડિપોઝીટર્સ છે અને કુલ 4500 થી 5000 લોકોને લોન અપાઇ છે.
