નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9નો ગણિતનો અભ્યાસક્રમ બદલાયો
Live TV
-
આ નવા અભ્યાસક્રમથી ગણિતના શિક્ષકો વાકેફ થાય તે માટે જૂનાગઢ જિલ્લામાં 320 ગણિતના શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો હતો.
રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી નવમા ધોરણમાં ગણિતનો અભ્યાસક્રમ બદલવામાં આવયો છે. આ નવા અભ્યાસક્રમથી ગણિતના શિક્ષકો વાકેફ થાય તે માટે જૂનાગઢ જિલ્લામાં 320 ગણિતના શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો હતો.
ખાસ કરીને દેશભરમાં એક સમાન અભ્યાસક્રમ રહે અને ગણિત જેવો ગહન વિષય પણ વિદ્યાર્થીઓ સહજતાથી આત્મસાત કરી લે તે અંગે આ વર્ગમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં, ઉચ્ચ તાલીમ મેળવી જૂનાગઢ જિલ્લાના ગણિતના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા આવેલા તજજ્ઞોએ નવા અભ્યાસક્રમથી સ્પર્ધાત્મક પરીક્ષામાં થતા ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
