નવા સચિવાલયમાંથી પકડાયેલા દિપડાને ગીરના આંતરિયાળ જંગલ વિસ્તારમાં છોડાશે
Live TV
-
દિપડાને ઈન્દ્રોડા પાર્ક ખાતે મેડિકલ દેખરેખ માટે રાખવામાં આવ્યો હતો અને વન વિભાગ દ્વારા તેને રેસક્યુ કરીને કેપ્ચર પ્રોટોકોલના ભાગરૂપે આ દીપડાને માઈક્રોચીપ લગાવવામાં આવી છે
ગાંધીનગરમાં નવા સચિવાયલ વિસ્તારમાં દેખાયેલ દીપડાને પુનીત વન પાછળના વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા પકડવામાં આવ્યો હતો. જેને ઈન્દ્રોડા પાર્ક ખાતે મેડિકલ દેખરેખ માટે રાખવામાં આવ્યો હતો. ત્યારે વન વિભાગ દ્વારા રેસક્યુ કરીને કેપ્ચર પ્રોટોકોલના ભાગરૂપે આ દીપડાને માઈક્રોચીપ લગાવવામાં આવી છે. આ દીપડો ફરીથી આ વિસ્તારમાં ન આવે તેની સાવચેતીને ધ્યાને લઈને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજ્યની સૂચનાથી દીપડાને ગીરના આંતરિયાળ જંગલ વિસ્તારમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે દીપડાને સાસણ મોકલવામાં આવ્યો છે.
