મણિનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની રંગોળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ બનાવાઈ
Live TV
-
ભારતભરના 562 રજવાડાઓને એકત્રીત કરનાર સરદાર વલ્લભભાઇ પટેલની રંગોળી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે
મણિનગરમાં આવેલ શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનમાં આચાર્ય શ્રી પુરૂષોત્તમદાસજી સ્વામીજીની પ્રેરણાથી સંતો તેમજ હરિભક્તોએ 50 ફુટ લાંબી અને 40 ફુટ પહોળી રંગોળી બનાવી છે. ભારતભરના 562 રજવાડાઓને એકત્રીત કરનાર સરદાર વલ્લભભાઇ પટેલની રંગોળી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. રંગોળીમાં 27 પ્રકારનાં560 કિલોગ્રામ રંગ અલગ પણ રંગોળીમાં વાપરવામાં આવ્યા છે. સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મહારાજ સાધુ ભગવત પ્રિયદાસજીએ જણાવ્યું હતું કે લાભપાંચમ સુધી લોકો રંગોળી મંદિરના પ્રાંગણમાં નિહાળી શકશે. મોટી સંખ્યામાં લોકો રંગોળી જોવા મંદિરમાં ખાતે આવી રહ્યા છે.
