નાગરીકોની મુળભુત જરૂરીયાતોની પુર્તી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધઃમુખ્યમંત્રી
Live TV
-
રાજ્યના નાગરીકોની મુળભુત જરૂરીયાત પુરી પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યુ
મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યુ હતુ કે નાગરીકોની મુળભુત જરૂરીયાતોની પુર્તી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ ખાતે લોક કલ્યાણલક્ષી વિવિધ કાર્યક્રમોમા ઉપસ્થીત રહેતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજ્યના નાગરીકોની મુળભુત જરૂરીયાત જેવી કે રસ્તા,ગટર, પાણી, શિક્ષણ, વિજળી, આરોગ્ય વગેરે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમજ જણાવ્યુ કે શહેરોની ઝુપડપટ્ટી દુર કરવાની દિશામાં આ એક મહત્વપુર્ણ કદમ છે. ઉપરાંત મુખ્યમંત્રીએ રૈયાધાર આવાસ યોજનામાં રૂપીયા 10 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના બનાવવાની જાહેરાત પણ કરી હતી, જેને લોકોએ આવકારી હતી. જ્યારે મુખ્યમંત્રીએ સંવેદના કાર્યક્રમ અન્વયે દસ લાભાર્થીઓને સ્ટેશનરી, સાડી, મીઠાઈ, ફરસાણ, ફટાકડાની કીટનું વિતરણ કર્યુ હતું.તેમજ તમામને દિવાળી અને નવા વર્ષની શભેચ્છા પાઠવી હતી.
