પંચમહાલના ગોધરામાં કલરવ સ્કૂલનો છબરડો
Live TV
-
ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છબરડાનો બની ભોગ
પંચમહાલ જિલ્લાના ગોધરાની કલરવ સ્કૂલનો છબરડો સામે આવ્યો છે. આ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વંશીકા ખીમાણી નામની વિદ્યાર્થિની શાળા સંચાલકોનાં છબરડાનો ભોગ બની છે. વાર્ષિક પરીક્ષા બાદ વિદ્યાર્થિનીને જે પરિણામ પત્ર અને સ્કુલલીવીંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું તે અન્ય શાળાનું હોવાથી વિવાદ સર્જાયો હતો. આ વિદ્યાર્થિનીએ જ્યારે ધોરણ 10માં પ્રવેશ માટે અરજી કરી ત્યારે તેને આ વાતનો ખ્યાલ આવ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલાને લઈને કલરવ સ્કુલના સંચાલકોએ જણાવ્યું કે, બંને શાળાના પરિણામ પત્રકો અને લીવીંગ સર્ટીફીકેટ એક જ જગ્યાએ પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવવામાં આવતા હોવાથી પ્રિન્ટીંગમાં ભૂલ થઈ છે.તેમણે આ મામલે જવાબદારો સામે પગલા ભરવાની પણ વાત કરી હતી.
