સુરતમાં હિન્દુ - મુસ્લિમ સમાજની એકતાનું પ્રતિક
Live TV
-
422 વર્ષથી હિંદુ - મુસ્લિમ સમાજના લોકો સાથે છોડે છે રોજા
હાલ રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. આ માસમાં મુસ્લિમ બિરાદર અલ્લાની ઈબાદત કરતાં હોય છે. સુરતની સરકાર હઝરત ખ્વાજા દાના દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બની છે. આ દરગાહ પર માત્ર મુસ્લિમ સમાજના બિરાદરો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં હિંદુ ભાઈઓ પણ રોજા છોડવા આવે છે. તેઓ મુસ્લિમ ભાઈઓની સાથે ઈફતારી કરીને રોજા છોડે છે. હિન્દુ અને મુસ્લિમ સાથે આ પવિત્ર સ્થળ માટે અન્ય ધર્મના લોકોને પણ આસ્થા છે. અહીં આવનાર લોકોનું કહેવું છે કે કોમો વચ્ચે એકતાનો આ ભાવ કયામત સુધી રહે. છેલ્લા 422 વર્ષથી અહીં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે રોજા છોડતા હોવાનું મનાય છે.
