પરપ્રાંતિયોના પલાયન મામલે અનેક જિલ્લાઓમાં યોજાઈ શાંતિ બેઠક
Live TV
-
પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાની ઘટનાને ,રાજ્ય સરકારે કડક શબ્દોમાં વખોડી છે ,તેમજ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારા તત્વોની, ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની શાંતિને ડામાડોળ કરવાનો પ્રયત્ન કરનારા તત્વોને રાજ્યના નાગરિકોએ પણ ,વખોડ્યો છે તેમજ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા પણ ,અપીલ કરવામાં આવી છે.
રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની પરંપરા રહી છે કે, અન્ય પ્રાંતમાંથી આવતા લોકો અને સમાજને ગુજરાતે પોતાના સમજીને સ્વિકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.
તેમણે રાજ્યના સૌ નાગરિકોને ભાઈચારો અને શાંતિનો માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી રાજકોટ રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્રારા આયોજીત 24માં બાળસંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
