પશુઓના કપાસિયાના ખોળમાં ભેળસેળ કરનારા સામે ભરાશે આકરા પગલા
Live TV
-
પશુઓના કપાસિયાના ખોળમાં ભેળસેળ કરનારા સામે ભરાશે આકરા પગલા
રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા સામે આવે છે. પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મિલો અને વેપારીઓ સામે ફોજદારી પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં ભરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો હોવાનું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણ કરતા હોવાથી સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે. તેવી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
