પાકિસ્તાનની લાડી જેલમાં એક ભારતીય માછીમારનું મોત
Live TV
-
છેલ્લા ત્રણ મહિનાથી માછીમારનો મૃતદેહ પાકિસ્તાનમાં હોવા છતાં ભારત સરકારને જાણ ન કરાઇ. સાથી માછીમારો એ પત્ર લખી મૃતકના પરિવારને આપી જાણકારી.
પાકિસ્તાનની મરીને ગત માર્ચ મહિનામાં જખૌના દરિયામાંથી ગીર સોમનાથનાં કોટડા ગામના દેવા રામા બારૈયા નામના માછીમારનું અપહરણ કરી, તેને અને તેના સાથી માછીમારોને લાડી જેલમાં ધકેલી દીધા હતા. પરંતુ લાડી જેલથી ચોંકાવનારી ખબર સામે આવી છે. દેવાભાઇ રામાભાઇના ગામના અન્ય માછીમાર ચાવડા દેવજી રાજાભાઈ જે પાકિસ્તાન જેલમાં કેદ છે. તેણે કોટડા પત્ર લખી જાણ કરી છે કે, 'કોટડા ગામના દેવા રામા બારિયા જે અમારી સાથે લાડી જેલમાં હતા, જેનું અહીં મોત થયું છે.' પાકિસ્તાનની લાડી જેલમાં બંદી માછીમાર દેવાભાઈ કે જેનું ગત તારીખ 4 માર્ચના રોજ હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેની ડેડબોડી હજુ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાન જેલમાં દેવાભાઇના મોતને ત્રણ મહિના વીત્યા છતાં પાકિસ્તાનની સરકારે ભારત સરકારને જાણ સુધા કરી નથી.
