પાલિતાણા તાલુકાનાં હણોલમાં રાત્રી ગ્રામસભા કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ
Live TV
-
ભાવનગર જિલ્લાનાં મૂલાકાતે પધારેલ કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખઇ માંડવીયાની અધ્યક્ષતામાં પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનું અમલીકરણ, ગામમાં થઈ રહેલા વિકાસના કામોની ચર્ચા તેમજ ગામની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ સભામાં જિલ્લા કલેકટર આર. કે. મહેતા, પ્રાંત યુવરાજ સિદ્ધાર્થ સહિતનાં પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
