પૂર્વ CM દિલીપભાઈ પરીખનું 82 વર્ષની વયે નિધન
Live TV
-
ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા દિલીપભાઈ પરીખ
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખનું 82 વર્ષની વયે આજે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલીપભાઈ પરીખના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તો ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ કરીને દિલીપભાઈને શોકાંજલિ પાઠવી હતી. તો ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી..
