પોરબંદરના સમુદ્ર પર નેવીના 8 યુદ્ધ જહાજોએ ખડકી દેવામાં આવ્યા
Live TV
-
યુદ્ધજહાજો પર તૈનાત નેવીના જવાનો કોઈપણ સમુદ્રી હલચલ સામે સુસજ્જ થયા છે. તો બીજીતરફ પોરબંદરના અતિ સંવેદનશીલ સમુદ્ર કિનારા પર સ્થાનિક મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સર્જીકલ એર સ્ટ્રાઈકને પગલે પોરબંદરના સમુદ્ર પર નેવીના 8 યુદ્ધ જહાજોએ ખડકી દેવામાં આવ્યા છે. આ યુદ્ધજહાજો પર તૈનાત નેવીના જવાનો કોઈપણ સમુદ્રી હલચલ સામે સુસજ્જ થયા છે. તો બીજીતરફ પોરબંદરના અતિ સંવેદનશીલ સમુદ્ર કિનારા પર સ્થાનિક મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસે માછીમારોને હાઈએલર્ટ કરવા તાકીદની બેઠક યોજી હતી.જેમાં જખૌ નજીક માછીમારી કરવા ગયેલા માછીમારોને એલર્ટ કરવાની સુચના આપી દેવાઈ હતી. તેમજ કોઈપણ માછીમારને સમુદ્રમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો માછીમારોએ તુરંત જ આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરવા સુચના અપાઈ હતી.
