પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે વ્યાખ્યાન માળા યોજાઇ
Live TV
-
પંડિત દીનદયાલ ઉપાધ્યાનની 101 જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ''કમલમ્'' ખાતે રાજ્યભરની સરકારી યુનિવર્સીટીના સેનેટ તથા સીન્ડીકેટ સભ્યોની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન માળા યોજાઇ હતી. આ દરમિયાન પત્રકારો દ્વારા બુલેટ ટ્રેનના ફંડિંગ વિશે પ્રશ્ન પુછાતા જવાબમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનું ફંન્ડિગ રોકવાની વાતને તદ્દન પાયાવિહોણી ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે મહત્વની એવી બુલેટ ટ્રેન યોજના સાકાર થઇ ને જ રહેશે.
