પ્રધાનમંત્રીએ અમદાવાદના ફ્લાવર શોની કરી પ્રશંસા
Live TV
-
આ ફ્લાવર શોની સંભવિત 10 લાખથી વધુ લોકો મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના 'વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો'ની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે; અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મનમોહી લે તેવો સુંદર છે.
અહીં નવા ભારતની વિકાસ યાત્રાની ઝલક આકર્ષિત કરનારી છે. પ્રધાનમંત્રીએ એક ખાનગી ચેનલના ફ્લાવર શોનો વીડિયો પણ શેર કર્યો છે. 15 જાન્યુઆરી સુધી યોજાનાર આ ફ્લાવર શો, એશિયાનો સૌથી મોટો ફ્લાવર શો છે.
ફ્લાવર શોમાં 7 લાખ રંગબેરંગી છોડથી 400 મીટર લાંબી દિવાલ બનાવવામાં આવી છે. આ ફ્લાવર શોની સંભવિત 10 લાખથી વધુ લોકો મુલાકાત લેશે.
