પ્રધાનમંત્રીએ પંચમહાલ જિલ્લામાં 860 કરોડ રૂપિયાની પ્રાથમિક વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય તેમજ યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું
Live TV
-
પંચમહાલ: પ્રધાનમંત્રી દ્વારા આજે જાંબુઘોડામાં 860 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 860 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.
પંચમહાલ જિલ્લાના અભ્યાસુઓને પ્રાથમિક શિક્ષણ તેમજ ઉચ્ચતર-માધ્યમિક શિક્ષણ ઘરઆંગણે મળી રહેએ હેતુથી પ્રધાનમંત્રીએ ગોધરાની ગોવિંદગુરૂ યુનિવર્સિટીના નવા પરિસરનું લોકાર્પણ કર્યું. તેઓએ વાડિક ગામમાં સંતજોડિયા પરમેશ્વર પ્રાથમિક વિદ્યાલય અને સ્મારકનું લોકાર્પણ કર્યું તેમજ ડાંડિયાપુરા ગામમાં રાજા રૂપ સિંહ નાયક પ્રાથમિક વિદ્યાલય અને સ્મારક સમર્પિત કર્યું. તેના સિવાય કેન્દ્રીય વિદ્યાલય ગોઘરાના ભવનનું શિલાન્યાસ કર્યુ હતું. ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા- કૌશલ યુનિવર્સિટીના વિસ્તારનો શિલાન્યાસ કર્યો. આ મેડિકલ કોલેજ 680 કરોડના ખર્ચે તૈયાર થશે.
