પ્રધાનમંત્રીના શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંમત્રી સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત
Live TV
-
આજે બપોરે એક વાગ્યા પછી તેઓ અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે અને શપથ વિધિ સમારોહ પૂર્ણ થયા બાદ આવતીકાલે ગાંધીનગર પરત ફરશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા પદનામીત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથ વિધિ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેશે. આ માટે આજે બપોરે એક વાગ્યા પછી તેઓ અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે અને શપથ વિધિ સમારોહ પૂર્ણ થયા બાદ આવતીકાલે ગાંધીનગર પરત ફરશે.
