પ્રવાસન અને રોજગારીને વેગ આપવા રાજ્યની 3 દિવાદાંડીનો કરાશે વિકાસ
Live TV
-
દ્રારકા, વેરાવળ અને ગોપનાથ ખાતે દિવાદાંડી વિકસાવવાનો ભારત સરકારનો નિર્ણય
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલી જુદી જુદી 3 દિવાદાંડી વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરાયુ. જેમાં દ્વારકા ખાતે 43 મીટર ઉંચાઈની દિવાદાંડી, વેરાવળ ખાતે 30 મીટરની તથા ગોપનાથ ખાતે 40 મીટરની દિવાદાંડી વિકસાવવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

આ દિવાદાંડીમાં વિઝીટર રૂમ, માહિતી માટે કિઓસ્ક, મેરીટાઈમ અને સ્થાનિક ઈતિહાસ દર્શાવતા એલઈડી, ફાઉન્ટેન, દરિયાકાંઠે વોક-વે, લેન્ડસ્કેપિંગ તેમજ બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

