પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે સંદેશ
Live TV
-
કાંકરીયા તળાવ પર 2000થી પણ વધુ બાળકોએ એક મોટી રેલી યોજી જાગૃતિ ફેલાવી
પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાની તાતી જરુર ઉભી થઇ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વચ્છતા અભિયાન, સિગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, જેવી બાબતો પર ભાર મૂકાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદવાદની શાન સમા કાંકરીયા તળાવ પર 2000થી પણ વધુ બાળકોએ એક મોટી રેલી સ્વરૂપે એકઠા થઇને અમદાવાદના નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં આવેલી આનંદ નિકેતન - ભાડજ શાળાના બાળકોએ બેનર, સ્લોગન, નુક્કડ નાટક વગેરે પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવાવાનો પ્રયાસ કર્યો હતો. અને પર્યાવરણ બચાવો અંગે જાગૃતિ ફેલાવી હતી.
