ફેની ચક્રવાતની સાઇડ ઇફેક્ટ, સુરત ટેક્સટાઇલ માર્કેટને ફટકો
Live TV
-
ઓરિસ્સા સાથે સીધો વેપાર કરતા 2000થી વધુ વેપારીઓનો માલનોજથ્થો અટવાયો
ઓરિસ્સામાં આવેલું ફેની ચક્રવાત ભલે શાંત થઇ ગયું હોય પણ તેની આડ અસર સુરતના વેપારીઓ ભોગવી રહ્યા છે. સુરતના 2000થી વધુ સ્થાનિક કાપડ વેપારીઓ છે કે ,જેમનો માલ ઓરિસ્સાની માર્કેટમાં સીધો વેચાણ માટે જાય છે. ફેની ચક્રવાતના કારણે ઓરિસ્તાની સાથો સાથ બંગાળમાં મોટા પાયે વેપારને અસર થઇ છે.. હજુ પણ 3 થી 4 દિવસ કાપડની ડિલિવરી જતી અટકે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. એક ટ્રકમાં 60 થી 70 લાખનો માલ ડિલિવર થાય છે. રોજની ,સરેરાશ 30 ટ્રકો ,ઓરિસ્સા ,અને તેની આસપાસના વિસ્તારોમાં જાય છે. ફોસ્ટાના સેક્રેટરી ચંપા લાલ બોથરાના જણાવ્યાનુસાર ભુવનેશ્વર સહિતના શહેરોમાં થયેલા નુકશાન ના કારણે સુરતના વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે.
