બનાસકાંઠામાં મુખ્યમંત્રીએ ચૂંટણી સભા ગજવી
Live TV
-
મુખ્યમંત્રીએ કોંગ્રેસના પરિવાર વાદ પર પ્રહાર કર્યા
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પક્ષના પ્રચાર અને મતદારોને રિઝવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે બનાસકાંઠાના દિયોદર, પાંથાવાડા ખાતે ચૂંટણી સભા ગજવી હતી. તેમણે કોંગ્રેસના પરિવાર વાદ પર પ્રહાર હતા અને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોટા વાયદા કરી રહી છે, આજ દિન સુધી કોંગ્રેસે ખેડૂતો માટે કશુ જ નથી કર્યુ. આ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડીને આવેલા ધાનેરા ઠાકોર સમાજના કાર્યકરો ભાજપમાં વિધીવત જોડાયા હતા
