બાલાસિનોરના વર્ષાબેનને આયુષ્યમાન થકી ઑપરેશનમાં મળી સારવાર
Live TV
-
પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાનો લાભ સામાન્ય આર્થિક પરિસ્થિતિના પરિવારો માટે મહેર બની વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના સામાન્ય પરિવારના મહીલા વર્ષાબેન મકવાણાને ઓપરેશનની સ્થિતિ ઊભી થઈ હતી.
શહેરની મીના હોસ્પીટલમાં આ યોજના હેઠળ તેમનું નિ: શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ વિકટ સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાવી મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
