બિનખેતીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કક્ષાએ સભાનું વિકેન્દ્રીકરણ કરાશે
Live TV
-
બિનખેતીની પ્રક્રિયા ઝડપી બનાવવા ,જિલ્લા કક્ષાએ સભાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ,જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું ,કે રાજ્યસરકાર દ્વારા ,પ્રજાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
જેથી પ્રજાજનોને સ્થાનિક કક્ષાએ સરળતાથી ,અને નજીકના અંતરે મળી રહે ,તે હેતુસર ,એક લાખથી વધુ વસ્તી ધરાવતી "અ" વર્ગની 18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજનનો રાજ્યસરકારે નિર્ણય લીધો છે. જે અન્વયે તાત્કાલિક અસરથી 18 નગરપાલિકા વિસ્તારોમાં અલગ કચેરી ઉભી કરવામાં આવશે.
