ભરૂચના વાગરા પાસે મકાન ધરાશાયી થયુ, ત્રણના મોત
Live TV
-
ભારે વરસાદની પગલે મકાનની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકો દબાયા હતા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામમાં ભારે વરસાદના કારણે કાચા મકાનની દીવાલ ધસી પડતા 5 વ્યક્તિ લોકો દબાયા હતા..આ ઘટનાની જાણ થકતાજ બચાવ ટીમોએ તેમને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા..જોકે આ ઘટનામાં માતા-પિતાનો બચાવ થયો છે જ્યારે તેમની ત્રણ દિકરીઓના દિવાલ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા હતા..ઈજાગ્રસ્ત નરેન્ગ્રસિંહ રાજ અને તેમના પત્નીને ભરૂચ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે..નાંદેડા ગામના એક જ પરિવારમાં ત્રણ સંતાનોના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે..
