ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભામાં ગાંધીજીની પ્રતિમાને ફુલ અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ સબકો સન્મતિ દે ભગવાન અને રઘુપતિ રાઘવ રાજા રામ જેવા સંદેશા આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજીની જન્મ જયંતી નિમિતે ગુજરાતમાં ખાસ હાજર રહેશે. આપણે સૌ મહાત્મા ગાંધીજીના વિચારોને આત્મસાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુગ પુરુષ તરીકે જોઇ રહ્યા છે. એક સંકલ્પ કરીને સ્વચ્છતાથી ગ્રામ સ્વરાજ અને સ્વરાજ્ય સુધીની કલ્પના સાકાર થઇ છે. તેને આગળ લઇ જવાના પ્રયાસ કરવા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું
