ભાજપની પાર્લામેન્ટરી બેઠકમાં કાર્યક્રમોની કરાઇ જાહેરાત
Live TV
-
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું.
ભાજપની પાર્લામેન્ટરી બેઠકમાં જીતુ વાઘાણી, પુરષોતમ રૂપાલા, શબ્દશરણ બ્રહ્મભટ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠક કમલ ખાતે યોજાઇ હતી. જેમાં ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું કે આગામી 20મી જૂનના રોજ પીએમ મોદી ખેડૂતો સાથે વાત કરશે. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં યોગ દિન નિમીતે સીએમ અને મંત્રીઓ તથા નેતાઓ યોગ ઉજવણીમાં જોડાશે. તો તેની સાથે જ 23 જૂનના રોજ દરેક જિલ્લામાં કાશ્મીરમાં શહીદ થનારા જવાનોને અનુલક્ષીને શ્રદ્ધાંજલિ આપવામાં માટેના કાર્યક્રમો યોજવામાં આવશે. 25 જૂનના રોજ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી, જેને ધ્યાનમાં રાખીને 26 જૂનના રોજ દિનેશ હોલ ખાતે ભાજપ અધ્યક્ષની હાજરીમાં સંમેલન પણ યોજાશે.
